પબ્લિક સર્વિસ
બ્રોડકાસ્ટિંગ ડે
પબ્લિક સર્વિસ
બ્રોડકાસ્ટિંગ ડે વિશે તારીખ 12મી નવેમ્બરને ગુરુવારે સાંજે 6 વાગે
દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ પર આપણી વાત કાર્યક્રમમાં એક ચર્ચા રજૂ થવાની
છે. આ કાર્યક્રમના રેકોર્ડિગમાં ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ
કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમના હેડ ડો. સોનલબેન પંડયા અને કાર્યક્રમના હોસ્ટ
નીનાબેન શાહ સાથે.... આ કાર્યક્રમનું પુન પ્રસારણ તા. 16ને સોમવારે બપોરે 12 વાગે થવાનું છે.
આપણો દેશ આઝાદ થયો એ પછી તા. 12મી નવેમ્બર, 1947ના રોજ મહાત્મા ગાંધીજી પહેલી અને છેલ્લી વખત આકાશવાણીના કેન્દ્ર પર ગયા હતા અને તેમણે રાષ્ટ્ર જોગ પ્રવચન આપ્યું હતું. તેની યાદગીરી રુપે પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે.